મધમાખી મધ બનાવે છે આ વાત સૌ ક્યારેક સાંભળી અને ખ્યાલ જ હશે, પણ શું આપ સૌને ખબર છે મધ બનાવતી મધમાખી વિશે તો આવો જાણીએ તેના વિશેની અમુક રોચક વાતો વિશે થોડું. દરેક વ્યક્તિના ઘરમાં કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેવામાં આવતું જ હોય છે તો મધએ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં છે. ત્યારે મધનું સેવન અલગ-અલગ રીતે કરવામાં આવે છે. મધએ ધરતીનું અમૃત છે તેવું પણ આપણે કહી શકયે છે.
તો શું તમે મધમાખી વિષે જાણો છો ?
મધમાખીએ એક પાઉન્ડ મધ બનાવવા માટે બે મિલિયન ફૂલોમાંથી મધ (અમૃત) એકત્રિત કરે છે.
દરેક મધમાખી આશરે ૯૦,૦૦૦ માઇલ્સ ફરી અને આશરે ત્રણવાર વિશ્વની આસપાસ ફરીને એક પાઉન્ડ જેટલું મધ એકત્રિત કરે છે.
દરેક મધમાખી પોતાની જીવનમાં ૧/૨ ચમચી જેટલું મધ બનાવે છે.
મધમાખી અંદાજિત ૫૦-૧૦૦ ફૂલો ફરી મધ મેળવે છે.
મધમાખીનું મગજ એક તલ જેટલું હોય છે. પણ તેની યાદ શક્તિ ખૂબ અદ્ભુત છે, તેવું કેહવામાં આવે છે.
મધમાખી તે એક-બીજા સાથે નાચીને વાત કરે છે.
મધમાખીઓની વસાહતમાં ૨૦૦૦૦-૬૦૦૦૦ મધ મધમાખી અને એક રાણી હોય છે. કામદાર મધમાખી મધમાખી માદા છે, લગભગ 6 અઠવાડિયા સુધી જીવે છે અને તમામ કાર્ય કરે છે.
રાણી મધમાખી ૫ વર્ષ સુધી જીવી શકે છે અને એકમાત્ર મધમાખી છે જે ઇંડા આપે છે. રાણી મધમાખી મહત્તમ શક્તિ,એક દિવસમાં ૨૫૦૦ ઈંડા મૂકે છે.
મધમાખી પોતાની પાંખો એક સેકેંડમાં ૨૦૦ વખત ફફડાવે છે.
મધમાખીના ઝેરમાં મેલ્ટિટિન. જે માનવ ઇમ્યુનોની ઉણપના વાયરસ અથવા એચ.આય.વી.ને અટકાવી શકે છે. મેલિટિન એ વાયરસ ડબલ લેયર રક્ષણાત્મક એનિવાલોપને મારીને એચ.આઈ.વી.ની હત્યા કરવામાં અસરકારક હોવાનું જાણવા મળ્યું હતું.
ખરેખર મધ તો મધમાખીને પેટમાં બને છે તે જે ફૂલોનો રસ પી ને આવે છે ત્યારે તેના પેટમાં એ ફૂલોનો રસ પર રસાયણિક પ્રક્રિયા થાય છે અને મધમાખી મધપુડા માં આવી તેને ઉલટી સ્વરૂપે બહાર કાઢે છે જેને આપને મધ કહીએ છીએ
મધમાખીઓનો ગુંજાર એ તેમના પાંખો દ્વારા બનાવવામાં આવેલ અવાજ છે, જે પ્રતિ મિનિટ ૧૧૪૦૦ વખત કરે છે.
તે મધમાં કુદરતી ફળની શુગર શામેલ હોય છે. જેમા ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ – ઝડપથી શરીર દ્વારા પચવામાં આવે છે. આ જ કારણ છે કે રમતવીરો અને એથ્લેટ્સ મધનો ઉપયોગ કરીને તેમને કુદરતી ઊર્જા આપે છે.
મધમાખી દ્વારા બનાવમાં આવતું મધ એટલે હની હંમેશાં એક દવા તરીકે ખૂબ માનવામાં આવે છે. ગળું અને પાચક વિકારથી માંડીને ત્વચાની સમસ્યાઓ અને તાવ જેવી એલરજીક બીમારીઓમાં ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.
– મધમાખી એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરી લાખો ફૂલો ઉપર જાય ત્યારે માંડ ૫૦૦ ગ્રામ મધ એકઠું થઈ શકે છે.
– મધમાખીની પાંખ એક સેકન્ડમાં ૧૧૦૦૦ વખત ફફડે છે. અને કલાકના લગભગ ૨૨ કિલોમીટરની ઝડપે ઊડે છે.
– મધમાખીને છ પગ અને ચાર પાંખો હોય છે.
– પૃથ્વી પર મધમાખી એક કરોડ વર્ષ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે.
– મધમાખી એક ટ્રીપમાં લગભગ ૧૦૦ ફૂલ ઉપરથી મધ લઈને મધપૂડામાં મૂકવા આવે છે.
– મધમાખી નૃત્ય દ્રારા સંકેત કરીને બીજી મધમાખીને ફૂલોની દિશા બતાવે છે.
– માદા મજૂર મધમાખી હોય છે તે દરરોજ ૨૫૦૦ ઇંડા મૂકવા સિવાય કંઈ કામ કરતી નથી.
– મધમાખીના ડંખ થોડા ઝેરી હોય છે. મધ તેમજ આ ઝેરનો સારવારમાં ઉપયોગ થાય છે. તેને એપીથેરાપી કહે છે.