પાંચ વર્ષમાં સૌથી વધુ ૨૦૨૨-૨૩માં એપ્રેન્ટિસ
ગુજરાતમાં એનએપી યોજનામાં ૧.૨ ૨ લાખનેએપ્રેન્ટિસ તરીકેરોજગાર અપાયો
આ યોજનામાં કુલ ૪,૯૮૫ ખાનગી એકમો તથા સરકારી પીએસયુ સામેલ

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા હાથ ધરાતી ભારત સરકારની નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ બેરોજગાર યુવક-યુવતીઓને તેમની શૈક્ષણિક લાયકાતને આધારે ખાનગી એકમો તથા જાહેર ક્ષેત્રના પીએસયુના બે વર્ષ માટે માસિક રૂ.૬ હજારના વેતનથી રોજગાર અપાય છે, જેમાં એપ્રેન્ટિસ દીઠ રૂ.૧,૫૦૦ ભારત સરકાર ચૂકવે છે, એટલી જ ૨કમ ગુજરાત સરકાર કાઢે છે અને બાકી રૂ.૩,૦૦૦ ખર્ચ જે તે કંપની-એકમ દ્વારા ભોગવવાનો રહે છે. રાજ્યનો શ્રમ-રોજગાર વિભાગ એવો દાવો કરે છે કે છેલ્લા પાંચ વર્ષ પૈકી ૨૦૨૨- ૨૩ના વર્ષમાં રેકાર્ડ ૧ લાખ ૨૨ હજારને એપ્રેન્ટિસ તરીકે આ યોજનામાં રોજગાર પૂરો પાડવામાં આવ્યો છે, જે સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ છે.
નાણાકીય વર્ષ
૨૦૧૮-૧૯
૨૦૧૯-૨૦
૨૦૨૦-૨૧
૪૪.૮૧૩
૨૦૨૧-૨૨
૨૦૨૨-૨૩
૪૪.૨૯૯
૫૨,૭૫૦
કુલ
આગળના વર્ષના એપ્રેન્ટિસ
૧૮.૯૪૩
૪૮.૬૯૦
૨,૦૯,૪૯૫
વર્ષ દરમિયાન નવા એપ્રેન્ટિસ
કુલ એપ્રેન્ટિસ
૫૮.૬૩૧
૫૦:૦૮૫
૪૯.૧૭૯
૬૦.૮૧૫
૬૮.૯૬૦
૭૭.૫૩૪
૯૮.૭૭૫
૯૩.૯૯૨
૧,૦૫,૧૧૪
૧.૨૧,૭૧૦
૨,૮૭,૬૭૦
૪,૯૭,૧૬૫
સૂત્રો એવું કહે છે કે, રાજ્યમાં આ કામચલાઉ રોજગારની સરકારી યોજનામાં કુલ ૪,૯૮૫ ખાનગી એકમો તથા સરકારી પીએસયુ સામેલ થયા છે, જેમના દ્વારા આ યોજનામાં જોડાતા
વર્ષવાર એપ્રેન્ટિસના આંકડા
યુવક-યુવતીઓને રૂ. ૬ હજારથી માંડીને રૂ. ૭,૫૦૦ જેટલું માસિક મહેનતાણું તેમની શૈક્ષણિક લાયકાત મુજબ ચૂકવાય છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્કીમ પાછળ ૨૦૨૧-૨૨માં રૂ.૩૯.૯૪ કરોડ અને ૨૦૨૨-૨૩માં રૂ. ૫૧ કરોડ ખર્ચાયા છે, જે પૈકી ભારત સરકારે ઉપરોક્ત બે વર્ષમાં અનુક્રમે રૂ.૧૩ કરોડ અને રૂ.૨૬ કરોડ આપ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.