ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો સરકારશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય.

રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી ની પ્રેરણાથી

ગુજરાત રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નાણા વિભાગની ફિક્સ પગારની નીતિ મુજબ સીધી ભરતીથી નિમણૂંક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો સરકારશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય.

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ ની ફિક્સ પગારની નીતિ મુજબ સીધી ભરતીથી નિમણૂંક પામેલ આશરે કુલ-૬૬૬૮ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં નાણા વિભાગના તા.૧૮/૧૦/૨૦૨૩ ના ઠરાવમાં સૂચવ્યા મુજબ તા.૦૧/૧૦/૨૦૨૩ થી ફિક્સ પગારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

Updated: January 20, 2024 — 5:27 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *