નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન એપ્લિકેશન શરૂ થઈ ગયેલ છે…..

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન એપ્લિકેશન શરૂ થઈ ગયેલ છે…..

ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧.૦૧.૨૩

મહત્વપૂર્ણ લિંક્સ
ફોર્મ ભરવા અહી ક્લિક કરો

Navoday Online Education System

 

આપનું અથવા તમારા સબંધીનું બાળક ધોરણ 5 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો કે શાળાએ જઈ નવોદય પ્રવેશ પરીક્ષાનુ ફોર્મ ભરે. આ વર્ષના એડમીશન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે. જો આ પરીક્ષામાં પાસ થશે તો ધોરણ-12 સુધી રહેવા-જમવા અને અભ્યાસની સુવિધા નવોદય સ્કુલમા ફ્રી (મફત) માં મળશે.
✓ ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૧/૦૧/૨૦૨૩ છે.

જવાહર નવોદય પરીક્ષાની સંપુર્ણ માહિતી અને ફોર્મ ભરવાની માહિતી માટે અને જુના પેપરો માટે વેબસાઈટ jawahar-navodaya-vidyalaya-class-6 છે.

☑ જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ:
૧) નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
૨) વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,

૩)વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,

૪) આધારકાર્ડ

 


 
નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.
 

નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

 
પોસ્ટ ટાઈટલ : નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
 
પોસ્ટ નામ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
 
પ્રવેશ : ધોરણ 6 અને 9
 
વર્ષ માટે પ્રવેશ : 2023-24
 
અરજી શરૂ તારીખ : 01-01-2023 (ધોરણ -6)
અરજી શરૂ તારીખ : 02-09-2022 (ધોરણ -9)
 
અરજી છેલ્લી તારીખ : 31-01-2023 (ધોરણ -6)
અરજી છેલ્લી તારીખ : 15-10-2022 (ધોરણ -9)
 
સત્તાવાર વેબસાઈટ : https://navodaya.gov.in
 
અરજી પ્રકાર : ઓનલાઈન
 
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
 
ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.
 
નવોદય વિદ્યાલય પ્રવેશ 2023-24
 
વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.
 
નવોદય વિદ્યાલયની વિશેષતાઓ
 
✓ દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
✓ કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
✓ વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
✓ પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
✓ રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
 
નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ
 
• ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 
• JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 
• NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 
• 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
 

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24

 
અરજી શરૂ તારીખ : 01/01/2023
 
અરજી છેલ્લી તારીખ : 31/01/2023
 
પ્રવેશ પરીક્ષા તારીખ : 11/02/2023
 
 
 
નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ
 
સમય : પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.
 
વિષય & માર્ક્સ
  1. અંગ્રેજી: 15
  2. હિન્દી: 15
  3. ગણિત: 35
  4. વિજ્ઞાન: 35
કુલ – 100 માર્ક્સ
 

 

Updated: January 3, 2023 — 8:59 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *