નમો સરસ્વતી યોજના: વિજ્ઞાન પ્રવાહની દીકરીઓને મળશે ₹25,000 ની સહાય, જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને તેમને અભ્યાસમાં કોઈપણ પ્રકારની આર્થિક કે અન્ય તકલીફ ન પડે, તેવા ઉમદા હેતુ સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાનમાં રુચિ ધરાવતી દીકરીઓને પ્રોત્સાહન અને આર્થિક ટેકો પૂરો પાડવાનો છે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
આ યોજનાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દી બનાવવા માંગતી દીકરીઓને નાણાકીય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, જેથી તેઓ સરળતાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે.
કોને મળશે આ યોજનાનો લાભ? (પાત્રતાના માપદંડ)
આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે:
- વિદ્યાર્થીનીએ ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષામાં ૫૦ ટકાથી વધુ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ.
- તેણીએ ધોરણ ૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો જરૂરી છે.

કેટલી અને કેવી રીતે મળશે સહાય?
- આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને ધોરણ ૧૧ અને ૧૨ ના અભ્યાસ દરમિયાન કુલ ₹ ૨૫,૦૦૦ ની આર્થિક સહાય મળવાપાત્ર છે.
- આ સહાયની રકમ વિદ્યાર્થીનીની ટ્યુશન ફી ચૂકવવા માટે વાપરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો
- ગુજરાત સરકારની નમો સરસ્વતી યોજના હેઠળ નાણાકીય સહાય/ શિષ્યવૃતિ માટે અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે :-
- રહેઠાણનો પુરાવો/ ગુજરાતનું નિવાસસ્થાન.
- આવકનું પ્રમાણપત્ર.
- જાતિ પ્રમાણપત્ર. (જો લાગુ હોય)
- બેંક ખાતાની વિગતો.
- આધાર કાર્ડ.
- મોબાઇલ નંબર.
- માતા-પિતાનું આધાર કાર્ડ.
- શિક્ષણ સંબંધિત દસ્તાવેજો.
કેવી રીતે અરજી કરવી
-
- ગુજરાત સરકારે તાજેતરમાં 2024-2025ના નાણાંમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની જાહેરાત કરી હતી.
- ગુજરાતના નાણામંત્રી શ્રી. કનુભાઈ દેસાઈએ સભામાં જણાવ્યું કે ગુજરાતમાં આગામી નાણાકીય વર્ષથી એટલે કે 2024-2025થી આનો અમલ કરવામાં આવશે.
- 12 માર્ચ, 2024ના રોજ ગુજરાત સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સત્તાવાર માર્ગદર્શિકા બહાર પાડી હતી.
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના સંપૂર્ણ લાભ અને લાયકાતની વિગતો માર્ગદર્શિકામાં આપવામાં આવી છે.
આમ, “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” દીકરીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સશક્ત બનાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સરકારનું એક મહત્વપૂર્ણ કદમ છે.